Republic Day (26 January)


અશોક ચક્ર

સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર (પૈંડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે. આ ચક્ર અશોક ચક્ર કહેવાય છે. આ ચક્ર ધર્મચક્રનું પ્રતીક છે. ઉદાહરણ માટે સારનાથ સ્થિત સિંહાકૃતિ (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર અશોક ચક્ર વિદ્યમાન છે. ભારત દેશના રાષ્ટ્ર ધ્વજમાં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે.
અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે.


ઇતિહાસ

જયારે ગૌતમ બુદ્ધ ને બોદ્ધ ગયા માં જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ તેઓ વારાણસી ના કિનારે વસેલા સારનાથ ગામ માં આવ્યા.ત્યાં તેમને તેમના પહેલા પાંચ અનુયાયીઓ મળ્યા જેમના નામ અનુક્ર્રમે અસાજી,મહાનમાં,કોન્દાના,ભાદીય્યા અને વાપા હતા.તેમને જ્ઞાન નો અભ્યાસ કરાવવા સૌપ્રથમ વાર તેમને ધમ્મચક્ર ની સ્થાપના કરી. અને આ આદર્શ ને અનુસરી ને મહાન ચક્રવર્તી સમ્રાટ અશોક દ્વારા તેને તેમના ઘણા શિલ્પો કલાકૃતિ ઓ માં સ્થાન આપ્યું. સંસ્કૃત શબ્દ ચક્રનો અર્થ 'પૈંડુ' થાય છે. જો કે વાંરવાર થતી એકની એક પ્રક્રિયાને પણ ચક્ર કહેવામાં આવે છે. ચક્ર સ્વત: પરિવર્તિત થતા રહેતા સમયનું પણ પ્રતીક છે. હિંદુ માન્યતાઓ અનુસાર દરેક જીવને આ સંસારના ચાર યુગોમાં થઇને પસાર થવું પડતું હોય છે. જેને સત્યયુગત્રેતાદ્વાપર અને કલિના નામથી ઓળખવામાં આવે છે


અશોક ચક્ર (પુરસ્કાર)


અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર જેટલો જ ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.
સૌ પ્રથમવાર ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં નાયક નર બહાદુર થાપાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી, જે આજદિન સુધી ચાલુ રહી છે.

ભારતનો રાષ્ટ્રધ્વજ



ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.
૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.



No comments:

Post a Comment

Thanks For Feedback